શરણાર્થિઓને CAA અંતર્ગત ભારતીય નાગરિકતા અપાઈ: 300 લોકોને મળી નાગરિકતા, ગૃહ મંત્રાલયે 14 શરણાર્થિઓને દિલ્હીમાં બોલાવી સર્ટિફિકેટ આપ્યા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan15052024_134058_CAA.webp)
- 15 May, 2024
ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા(CAA)ની શરૂઆત પછી પ્રથમ વખત 300 જેટલા શરણાર્થિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 14 જેટલા આવા લોકોને ગૃહમંત્રાલયે સર્ટિફિકેટ ઈસ્યુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ શરણાર્થિઓ ઘણા વર્ષોથી ભારતની નાગરિકતા માટે વલખા મારતા હતા. ગૃહ મંત્રાલયે આ 14 શરણાર્થિઓને દેશની રાજધાની દિલ્હીમાં બોલાવ્યા હતા. અહીં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ તેમને સર્ટિફિકેટ આપને અભિનંદન પાઠવ્યા હતા. સરકારે 11 માર્ચ-2024ના રોજ સીએએ કાયદો લાગુ કર્યો હતો.
આ કાયદા હેઠળ ભારતના ત્રણ પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. જોકે જે લોકો 31 ડિસેમ્બર-2014 અથવા તે પહેલા ભારત આવ્યા હોય, તેમને જ ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. સીએએ કાયદા હેઠળ પડોશી દેશોમાંથી આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓએ અરજી કરી હતી, તેમાંથી 300 લોકોને ભારતીય નાગરિકતા અપાઈ છે.
આ કાયદો પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં મંજૂર થયો હતો, પરંતુ 11-માર્ચ 2024માં લાગુ થયો છે. વિરોધ પક્ષોએ આ મુદ્દે ખુબ જ વિરોધ નોંધાવ્યો હતો અને કડક વલણ પણ જોવા મળ્યું હતું. આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતાની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ